જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલન થયું છે. એક અધિકારીએ કહ્યું છે કે આ વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે તેના સત્તાવાર X હેન્ડલ પર માહિતી આપી છે કે, આ ભૂસ્ખલન ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે થયું છે અને ઘણા લોકો ઘાયલ થવાની સંભાવના છે. માહિતી અનુસાર, આ અકસ્માત પછી વૈષ્ણો દેવી યાત્રા રોકી દેવામાં આવી છે.

