Ahmedabad plane crash: 12 જૂન 2025નો એ કાળો દિવસ... અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમેરિકન બોઇંગ કંપનીનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફની થોડી જ સેકન્ડોમાં ક્રેશ થઈ ગઈ. આ ગોઝારી ઘટનામાં 260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે આ ઘટનાને બરાબર 1 વર્ષ પૂરું થઈ ગયું છે, પરંતુ પોતાના સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. અકસ્માતનું સાચું કારણ શું હતું? ફાઇનલ રિપોર્ટ હજુ કેમ નથી આવ્યો? આ સવાલોના જવાબ હજુ હવામાં જ છે.

