અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 પેસેન્જર્સ, 2 પાયલટ્સ અને 10 કેબિન ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થતો હતો. આ ઘટનાએ દેશ-વિદેશમાં હચમચાવી દીધું છે, અને લોકો સવાર લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. જાણીએ કે ટેકઓફની 8 મિનિટમાં શું થયું અને શા માટે પાયલટને પરિસ્થિતિ સંભાળવા માટે એક મિનિટનો પણ સમય ન મળ્યો.

