ટાટા ગ્રૂપ, ભારતનું સૌથી મોટું બિઝનેસ સમૂહ,એ અમદાવાદમાં થયેલા દુખદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જોકે, આ રકમ ટાટા ગ્રૂપ કે એર ઇન્ડિયાને પોતાની ખિસ્સામાંથી ચૂકવવી નહીં પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રકમ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને ટાટા AIG જેવી ઇન્શ્યોરન્સ કંપનીઓ ચૂકવશે, જે એર ઇન્ડિયાના વિમાનોને ઇન્શ્યોરન્સ કવર પૂરું પાડે છે.