Anant Ambani visits Tirupati: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની ધાર્મિક આસ્થા પ્રગટ કરતા મંદિરની સદીઓ જૂની પરંપરા મુજબ કેશ દાન કર્યું હતું. એટલું જ નહીં, તેમણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને પર્યાવરણને અનુકૂળ એવી 25 ઇલેક્ટ્રિક બસો દાનમાં આપવાની જાહેરાત પણ કરી છે.

