વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં એક મોટી અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસીય 'ચિંતન બેઠક' કરશે. આ બેઠક પહેલા જ તમામ કેબિનેટ મંત્રીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ આ અઠવાડિયે દિલ્હીની બહાર ન જાય અને રાજધાનીમાં જ હાજર રહે. આ આદેશ બાદ રાજકીય ગલિયારાઓમાં એવી અટકળો તેજ બની ગઈ છે કે મોદી કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરબદલ જોવા મળી શકે છે.

