Shahzad Bhatti Network: આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'ઝીરો ટોલરન્સ' નીતિ પર આગળ વધતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ સુરક્ષાના મામલે એક બહુ મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે કડક કાર્યવાહી કરતા શાહજાદ ભટ્ટી નેટવર્કને ગેરકાનૂની ગતિવિધિઓ અધિનિયમ એટલે કે UAPA હેઠળ 'આતંકવાદી સંગઠન' જાહેર કરી દીધું છે. ગૃહમંત્રી કાર્યાલય દ્વારા બુધવારે સત્તાવાર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.

