જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાંથી એક ખૂબ જ મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે અમરનાથ દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસમાં 39 જેટલા અમરનાથ યાત્રીઓ સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

