Anmol Ambani CBI: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પરિવારની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી અને અન્ય લોકો સામે 228.06 કરોડની કથિત બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવ્યો છે. બેંકનો આરોપ છે કે અનમોલ અંબાણીના સમૂહની કંપનીએ લોન લીધી પરંતુ તેને ચૂકવવામાં નિષ્ફળ રહી, જેના કારણે બેંકને મોટું આર્થિક નુકસાન થયું.

