india-pakistan trade: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યારે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી તેમાં વધુ ખટાશ આવી છે. ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ વેપારિક સંબંધો તોડી નાખ્યા છે. પાકિસ્તાનથી આયાત અને નિકાસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ થવાથી ભારત પર શું અસર પડશે? બંને દેશો વચ્ચે કયા પ્રકારનો વેપાર થતો હતો? પાકિસ્તાનથી આવતી કઈ વસ્તુઓ ભારતમાં મોંઘી થઈ શકે છે? અને એક એવી વસ્તુ જેનું હિન્દુઓ સાથે ખાસ કનેક્શન છે.