Get App

india-pakistan trade: ભારત-પાકિસ્તાન વેપાર સંબંધો પર પૂર્ણવિરામ, જાણો શું થશે અસર

પુલવામા હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે, જેના કારણે વેપારિક સંબંધો પણ પ્રભાવિત થયા છે. હવે તાજેતરમાં જ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ વેપારિક સંબંધો તોડી નાખ્યા છે. આ નિર્ણયથી પાકિસ્તાનને આર્થિક રીતે વધુ નુકસાન થશે, કારણ કે તે ભારત પર વધુ નિર્ભર છે.

MoneyControl Newsઅપડેટેડ May 06, 2025 પર 11:02 AM
india-pakistan trade: ભારત-પાકિસ્તાન વેપાર સંબંધો પર પૂર્ણવિરામ, જાણો શું થશે અસરindia-pakistan trade: ભારત-પાકિસ્તાન વેપાર સંબંધો પર પૂર્ણવિરામ, જાણો શું થશે અસર
ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ વેપારિક સંબંધો તોડી નાખ્યા છે.

india-pakistan trade: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યારે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી તેમાં વધુ ખટાશ આવી છે. ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ વેપારિક સંબંધો તોડી નાખ્યા છે. પાકિસ્તાનથી આયાત અને નિકાસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ થવાથી ભારત પર શું અસર પડશે? બંને દેશો વચ્ચે કયા પ્રકારનો વેપાર થતો હતો? પાકિસ્તાનથી આવતી કઈ વસ્તુઓ ભારતમાં મોંઘી થઈ શકે છે? અને એક એવી વસ્તુ જેનું હિન્દુઓ સાથે ખાસ કનેક્શન છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ હતા. 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનથી આવતા માલ પર 200 ટકા ટેક્સ લગાવી દીધો હતો. જેના કારણે વેપાર ઘણો ઓછો થઈ ગયો હતો. આંકડાઓ અનુસાર, 2018-19માં બંને દેશો વચ્ચે 4,370 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો. પરંતુ, 2019-20માં અટારી બોર્ડરથી થતો વેપાર ઘટીને 2,772 કરોડ રૂપિયા રહી ગયો હતો.

પાકિસ્તાનથી ભારત આવતો માલ તરબૂચ, શક્કર ટેટી, સિમેન્ટ, સિંધાલૂણ, સૂકા મેવા, પથ્થર, ચૂનો, કપાસ, સ્ટીલ, ચશ્મા માટે ઓપ્ટિકલ આઇટમ, ઓર્ગેનિક કેમિકલ, મેટલ કમ્પાઉન્ડ, ચામડાનો સામાન, તાંબુ, સલ્ફર, કપડાં, ચપ્પલ, મુલતાની માટી જેવી વસ્તુઓ પાકિસ્તાનથી ભારત આવતી હતી.

સિંધાલૂણનું હિન્દુઓ સાથે ખાસ કનેક્શન

સિંધાલૂણનું હિન્દુઓ સાથે ખાસ કનેક્શન રહ્યું છે. આ મીઠાને સામાન્ય રીતે સૌથી શુદ્ધ સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે તે ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં રાસાયણિક પ્રક્રિયા અથવા આર્ટિફિશિયલ કમ્પાઉન્ડ સામેલ હોતા નથી. હિન્દુ ધર્મમાં વ્રત દરમિયાન સાત્વિક અને કુદરતી ભોજન પર ભાર મૂકવામાં આવે છે. તેથી સિંધાલૂણને પ્રાધાન્ય આપવામાં આવે છે. સામાન્ય ટેબલ સોલ્ટની સરખામણીમાં સિંધાલૂણ ઓછું પ્રોસેસ્ડ હોય છે. એવું માનવામાં આવે છે કે વ્રત દરમિયાન એવા ખાદ્યપદાર્થોનું સેવન કરવું જોઈએ જે ઓછામાં ઓછા પ્રોસેસ્ડ હોય અને પ્રકૃતિની નજીક હોય.

સિંધાલૂણમાં સોડિયમ ક્લોરાઇડની સાથે કેટલાક અન્ય ખનિજ તત્વો પણ જોવા મળે છે. જેને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ કારણથી હિન્દુ ધર્મમાં ઘણા લોકો, ખાસ કરીને ઉત્તર ભારતમાં, નવરાત્રી, એકાદશી અથવા અન્ય ધાર્મિક ઉપવાસો દરમિયાન પોતાના ભોજનમાં સામાન્ય મીઠાની જગ્યાએ સિંધાલૂણનો ઉપયોગ કરે છે. વ્રત માટે બનાવવામાં આવતી વાનગીઓ જેવી કે આલુ ટિક્કી, સાબુદાણા ખીચડી વગેરેમાં સિંધાલૂણનો ઉપયોગ થાય છે.

ભારતથી પાકિસ્તાન જતો માલ ભારતથી જે વસ્તુઓ પાકિસ્તાન જાય છે, તેમાં નારિયેળ, ફળ, શાકભાજી, ચા, મસાલા, ખાંડ, તેલીબિયાં, પશુ આહાર, ડેરી ઉત્પાદનો, પ્લાસ્ટિક ઉત્પાદનો, દવાઓ, મીઠું, મોટર પાર્ટ્સ, રંગો, કોફી વગેરે જેવી વસ્તુઓ સામેલ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો