India first hydrogen train: ભારતીય રેલવે અને દેશવાસીઓ માટે આજનો દિવસ અત્યંત ગર્વ અને ઐતિહાસિક છે. ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ મુક્ત એવી દેશની સૌપ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન' આજથી સામાન્ય જનતા માટે શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનીપત-જીંદ રેલવે રૂટ પર આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે. આધુનિક ટેકનોલોજીથી બનેલી આ ટ્રેન મુસાફરોને માત્ર સારી સગવડ જ નહીં, પણ એકદમ સસ્તી મુસાફરી પણ પૂરી પાડશે.

