India-EU Deal: ભારત સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમજૂતીઓ (Trade Deals)ને લઈને અર્થશાસ્ત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણીતા અર્થશાસ્ત્રી અને 16મા નાણા પંચના ચેરમેન અરવિંદ પનગઢિયાએ અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) સાથેની ભારતની ટ્રેડ ડીલની સરખામણી 1991ના ઐતિહાસિક આર્થિક સુધારાઓ સાથે કરી છે. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો છે કે જો આ બંને ડીલને સાથે રાખવામાં આવે તો તે 1991ના સુધારાઓ કરતાં પણ મોટી સાબિત થઈ શકે છે.

