મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈ અને પુણેને જોડતા સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ રૂટ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. કરજત-લોનાવાલા ઘાટ સેક્શનમાં જંગી ભેખડો ધસી પડવાથી ટ્રેન વ્યવહાર અને રોડ ટ્રાફિક બંનેને બ્રેક વાગી છે. જો તમે પણ મુંબઈ કે પુણે તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા આ લેટેસ્ટ અપડેટ ચોક્કસ વાંચી લો.

