Satyapal Malik Death: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે અવસાન થયું. સત્યપાલ મલિક છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ (RML હોસ્પિટલ) માં સારવાર લઈ રહ્યા હતા અને લાંબી બીમારી બાદ 5 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું. જમ્મુ અને કાશ્મીર પહેલા, મલિક બિહાર, મેઘાલય અને ગોવાના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, તેમણે બપોરે 1 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.