વર્ષ 2025માં ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં, આ વર્ષે ઉત્તરાખંડમાં ગંગોત્રીની મુલાકાતે જતા ભક્તો અને પ્રવાસીઓ હવે ચીન સરહદ નજીકના ગામોમાં જઈ શકશે. 6 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી દેશના લોકોને એક નવા પર્યટન સ્થળની ભેટ આપવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેલાંગ અને જડુંગ ગામોને પર્યટન માટે ખોલવાની જાહેરાત કરશે. વાસ્તવમાં આ ગામ ઉત્તરકાશી જિલ્લામાં 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ આખો વિસ્તાર લદ્દાખ જેવો ઠંડો રણ છે, જે હિમાલયની પાછળનો વિસ્તાર છે. આપને જણાવી દઈએ કે નેલાંગ અને જાડુંગ ગામ ઉત્તરકાશી જિલ્લાના પ્રાચીન ગામોમાંના એક છે, જ્યાં 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું.

