Get App

Salangpur Mandir Vivaad: સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને, જાણો શું છે સમગ્ર મામલો

Salangpur Mandir Vivaad: કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 31, 2023 પર 12:17 PM
Salangpur Mandir Vivaad: સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને, જાણો શું છે સમગ્ર મામલોSalangpur Mandir Vivaad: સાળંગપુર મંદિર વિવાદમાં સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને, જાણો શું છે સમગ્ર મામલો
Salangpur Mandir Vivaad: સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ સામે આવ્યો છે

Salangpur Mandir Vivaad: સાળંગપુરમાં હનુમાન દાદાના ભીંત ચિત્રોનો વિવાદ વકર્યો છે. 'કિંગ ઓફ સાળંગપુર'ના નામે જગવિખ્યાત હનુમાનજીને સ્વામીના દાસ ગણાવાતાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સાળંગપુર મંદિર વિવાદ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ સામે આવ્યો હતો. જેમાં હવે અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છેકે, VHP ના આગેવાનો આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળશે. વિશ્વ હિન્દૂ પરિષદ હિંદુઓની લાગણીની સાથે રહશે.

વીએસપીના મહામંત્રી અશોક રાવલે જણાવ્યુંકે, અમે તમામને સાથે લઈને ચાલીએ છીએ. ભગવાન રામ ત્રેતા યુગ માં થયા હનુમાનજી પણ ત્રેતા યુગમાં હતા. સ્વામિનારાયણ ભગવાન 300 વર્ષ પહેલા થયા. VHP એ વડતાલ મુખ્ય મંદિર સાથે વાતચીત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક જ્ઞાની સંતો છે. અભણ માણસોને ભેગા રાખવા સેહલા છે પણ જ્ઞાની ને સાથે રાખવા અઘરા.

સાળંગપુર મંદિરમાં વિવાદ શું છે?

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે. કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. વાયરલ થઇ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર વિવાદ વકર્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો