Nepal Crisis: નેપાળમાં હાલના દિવસોમાં રાજકીય અને આર્થિક અશાંતિ ચરમસીમાએ પહોંચી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ થતાં યુવાનોની Gen-Z ક્રાંતિએ દેશમાં હંગામો મચાવ્યો છે. આ પ્રદર્શનો હવે હિંસક બની રહ્યા છે, જેમાં 20થી વધુ લોકોના મોત અને 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ બળવાએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને રાજીનામું આપવા મજબૂર કર્યા, જ્યારે રાષ્ટ્રપતિ પૌડેલના નિવાસસ્થાને આગચંપીની ઘટનાઓ અને મંત્રીઓ પર હુમલાઓ પણ નોંધાયા છે.