India-China relations: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલ ચીનની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શુભેચ્છાઓ પહોંચાડી. છેલ્લા 5 વર્ષમાં જયશંકરની આ પ્રથમ ચીન યાત્રા છે, જે ભારત-ચીન સંબંધોને મજબૂત કરવા માટે મહત્વની ગણાય છે.

