ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે વતન પાછા લાવવા માટે 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉત્તરી ઈરાનમાંથી લગભગ 110 વિદ્યાર્થીઓને આર્મેનિયાના યેરેવન શહેર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ ખાસ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યા છે.