Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26ના મોતની આશંકા છે. જો કે, સત્તાવાર રીતે 16ના મોતની પુષ્ટિ કરાઈ છે. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ છે. ઘટનામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.