Asia Cup 2025: એશિયા કપ 2025ના ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીતથી પાકિસ્તાનમાં નારાજગીનો માહોલ છે. ભારતીય રાજકારણીઓના ટ્વીટ અને ટીમ ઇન્ડિયાના ટ્રોફી ન લેવાના નિર્ણયથી આ ખળભળાટ વધુ ગરમાયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયાને બધાઈ આપતાં એક્સ પર લખ્યું, "ઓપરેશન સિંદૂરની જેમ રમતના મેદાનમાં પણ ભારતે જીત મેળવી. અમારા ક્રિકેટરોને બધાઈ!" આ ટ્વીટથી પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ભડક્યા.