Get App

Ram Mandir Pran Pratishtha: PM મોદીએ 'વનવાસ' સમાપ્ત કરવામાં વિલંબ માટે ભગવાન રામની માફી માંગી, સાંજે દરેક ઘરમાં 'રામ જ્યોતિ' પ્રગટાવાશે

Ram Mandir Pran Pratishtha: 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે રામ લલ્લા તેમના ભવ્ય રામ મંદિરમાં સ્થાયી થયા છે અને રામ લલ્લાની આંખો ખુલી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી રામ જન્મભૂમિ મંદિરનો અભિષેક વિધિ સંપન્ન થયો.

MoneyControl Newsઅપડેટેડ Jan 22, 2024 પર 4:14 PM
Ram Mandir Pran Pratishtha: PM મોદીએ 'વનવાસ' સમાપ્ત કરવામાં વિલંબ માટે ભગવાન રામની માફી માંગી, સાંજે દરેક ઘરમાં 'રામ જ્યોતિ' પ્રગટાવાશેRam Mandir Pran Pratishtha: PM મોદીએ 'વનવાસ' સમાપ્ત કરવામાં વિલંબ માટે ભગવાન રામની માફી માંગી, સાંજે દરેક ઘરમાં 'રામ જ્યોતિ' પ્રગટાવાશે
મને દેશના ખૂણે-ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો-પીએમ મોદી

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા. અને મંચ પરથી સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. ગોવિંદદેવગીરીજી મહારાજે 11 દિવસના ઉપવાસ પૂર્ણ કરીને પારણાં કરાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આજનો દિવસ કૃતજ્ઞતાથી ભરેલો છે. રાષ્ટ્ર અને વિશ્વ આજે અલૌકિક ક્ષણના સાક્ષી છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા નથી પણ દેશના સ્વાભિમાનની ગરિમા છે. વર્ષોથી આ ક્ષણ માટે રાહ જોતા હતા. કોઈ એક વિભૂતિના કારણે યુગ પરિવર્તિત થઈ જાય છે. આવા જીવન સાધક પ્રધાનમંત્રીજી મળ્યા છે. આ માત્ર આ દેશનું નહીં, વિશ્વનું સૌભાગ્ય છે કે આપણને રાજદર્શી પ્રાપ્ત થયા. મને એ વાતનું આશ્ચર્ય થયું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે પોતે શું શું સિદ્ધ કરવું પડે, તેની નિયમાવલી મોંકલો. આવી વાત બહુ સારી કહેવાય. અમે ત્રણ દિવસના ઉપવાસ કરવાનું કહેલું પણ એમણે 11 દિવસના પૂર્ણ ઉપવાસ કર્યા.

'મંદિર જ્યાં બનાવવાનો સંકલ્પ કર્યો હતો ત્યાં જ બાંધવામાં આવ્યું'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રામોત્સવના પાવન અવસરે પ્રધાનમંત્રીજીનું હૃદયથી સ્વાગત અને અભિનંદન કરું છું. 500 વર્ષોથી વધારે રાહ જોયા પછી આજે અંતરમનની ભાવના એવી છે જેને વ્યક્ત કરવા શબ્દો નથી. મન ભાવવિહવળ છે. આજના ઐતિહાસિક દિવસે દરેક માર્ગ રામ મંદિર તરફ આવી રહ્યો છે.દરેકના મુખમાં રામ નામ છે. મનમાં છે. રોમ-રોમમાં રામ છે. રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે આપણે ત્રેતાયુગમાં આવી ગયા છીએ.આનંદ એ વાતનો છે કે રામ મંદિર ત્યાં બન્યું છે જ્યાં રામ જન્મભૂમિ છે. શિલ્પીએ આપણી કલ્પના મુજબની પ્રતીમા બનાવી છે. રામ જન્મભૂમિ સનાતન આસ્થાની પરીક્ષાનો કાળ રહ્યો. દરેક દિવસ સાથે આપણો સંકલ્પ દ્રઢ થતો રહ્યો. દરેક લોકો આજે અયોધ્યા આવવા આતુર છે. સમગ્ર વિશ્વ રામનો સાક્ષાત્કાર કરી રહ્યું છે. અયોધ્યામાં અરપોર્ટ હશે, સરયૂમાં ક્રૂઝ ચાલશે, અયોધ્યાની ગરિમા પાછી આવશે એવું કોઈએ વિચાર્યું નહોતું. પણ ડબલ એન્જિન સરકારે કરી બતાવ્યું છે.રામજીની પૈડી, ગુપ્તાર ઘાટનો વિકાસ થયો છે. રામવનગમન પથ પર નવું કામ ચાલી રહ્યું છે. આ મંદિર રાષ્ટ્ર મંદિર છે. રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક અવસર છે. અયોધ્યાની ગલીઓમાં ગોળીઓ નહીં વરસે, કર્ફ્યૂ નહીં લાગે. હવે અયોધ્યામાં રોજ દિવાળી થશે. આ રામરાજ્યની સ્થાપના છે. રામરાજ્ય સમભાવ સમાજનું દ્યોતક છે. ભવ્ય, દિવ્ય રામ મંદિરને સાકાર કરવામાં અનેક લોકોનું યોગદાન છે.

રામલલ્લા આપણને પ્રેરણા આપવા આવ્યા છે

બધા સમાચાર

+ વધુુ વાંચો