બ્રાઝિલના રમણીય સમુદ્રતટીય શહેરમાં યોજાયેલા BRICS શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સ્તરે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, BRICS દેશોએ મળીને મહત્વના ખનિજો અને ટેક્નોલોજીની સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવી જોઈએ, જેથી કોઈ પણ દેશ આ સંસાધનોનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કે બીજા દેશો સામે હથિયાર તરીકે ન કરી શકે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીન દ્વારા મહત્વના ખનિજોના નિકાસ પર પ્રતિબંધ અને તેની અપારદર્શી નીતિઓને લઈને ગ્લોબલ ચિંતા વધી રહી છે. બીજી તરફ, અમેરિકા પણ આવા ખનિજોની હોડમાં જોડાયું છે.