Janmashtami 2026: અમદાવાદમાં નોકરી, વ્યવસાય અને રોજગારી માટે રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે જન્માષ્ટમી એટલે કે સાતમ-આઠમનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. વર્ષભર પરિવારથી દૂર રહેતા લોકો આ મિની વેકેશનમાં પોતાના વતન જઈને માતા-પિતા અને સગાં-સંબંધીઓ સાથે તહેવાર ઉજવવા માટે થનગની રહ્યા છે. જોકે, આ વર્ષે વતનની વાટ પકડવી મુસાફરોના ખિસ્સા પર ભારે પડી રહી છે.

