Puri Jagannath Rath Yatra: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગુરુવારે રથયાત્રામાં ઉમટેલી ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ ઘટનામાં આશરે 200 જેટલા શ્રદ્ધાળુઓની તબિયત લથડી છે, જ્યારે એક ભક્તનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

