ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આજે ભારતની ધરતી પર પગ મૂક્યો છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવી છે. ભારતે ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ખરાબ હવામાનના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, 11 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ કોઈ ICC ટ્રોફી જીતી છે. ચાહકોએ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટ પર વહેલી સવારથી જ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

