PM Modi on Terrorism: ભારત સરકાર આતંકવાદ અને તેને પોષનારા તત્વો સામે ઝૂકવા તૈયાર નથી, તેવો સ્પષ્ટ અને આકરો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. ભારતીય સેનાના અદભૂત પરાક્રમ સમાન 'ઓપરેશન સિંદૂર'ની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ ખાસ અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવનારા સૈનિકોને નમન કર્યા હતા અને દેશની સુરક્ષા સામે આંખ ઉઠાવનારાઓને ચેતવણી આપી હતી.

