Get App

ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ: ‘આતંકના આકાઓને છોડીશું નહીં’, પીએમ મોદીએ સેનાના શૌર્યને બિરદાવતા પાઠવ્યો આકરો સંદેશ

Operation Sindoor: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ પર સેનાના પરાક્રમને નમન કર્યા છે. 26 નિર્દોષોના મોતનો બદલો લેવા માટે કરાયેલી આ કાર્યવાહી બાદ પીએમએ આતંકવાદ વિરુદ્ધ ભારતનો અડગ સંકલ્પ દોહરાવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ May 07, 2026 પર 12:10 PM
ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ: ‘આતંકના આકાઓને છોડીશું નહીં’, પીએમ મોદીએ સેનાના શૌર્યને બિરદાવતા પાઠવ્યો આકરો સંદેશઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ: ‘આતંકના આકાઓને છોડીશું નહીં’, પીએમ મોદીએ સેનાના શૌર્યને બિરદાવતા પાઠવ્યો આકરો સંદેશ
Operation Sindoor: પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ પર સેનાના પરાક્રમને નમન કર્યા છે.

PM Modi on Terrorism: ભારત સરકાર આતંકવાદ અને તેને પોષનારા તત્વો સામે ઝૂકવા તૈયાર નથી, તેવો સ્પષ્ટ અને આકરો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. ભારતીય સેનાના અદભૂત પરાક્રમ સમાન 'ઓપરેશન સિંદૂર'ની આજે પ્રથમ વર્ષગાંઠ છે. આ ખાસ અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવનારા સૈનિકોને નમન કર્યા હતા અને દેશની સુરક્ષા સામે આંખ ઉઠાવનારાઓને ચેતવણી આપી હતી.

સેનાના પરાક્રમે દુનિયાને બતાવ્યો ભારતનો દમ

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક વર્ષ વીતી ગયું હોવા છતાં આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો ભારતનો સંકલ્પ આજે પણ તેટલો જ મજબૂત છે. તેમણે કહ્યું કે, "ગત વર્ષે આ ઓપરેશન દરમિયાન આપણી સેનાએ જે બહાદુરી અને ચોકસાઈ બતાવી હતી, તેણે સમગ્ર વિશ્વને ભારતની સુરક્ષા શક્તિનો પરચો આપી દીધો હતો." ભારત હવે માત્ર રક્ષા નથી કરતું, પણ જરૂર પડે ત્યારે આક્રમક જવાબ આપવાની પણ ક્ષમતા ધરાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો