Get App

GUJARAT ATS : અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓ સ્યૂસાઇડ બોમ્બર બનવા હતા તૈયાર, ચારેય આતંકી ઈસ્લામિક સ્ટેટ (IS)ના સક્રિય સભ્યો

GUJARAT ATS : ગુજરાત ATS દ્વારા ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISના ચાર આતંકવાદીઓને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે કેટલાક ચોંકાવનરા ખુલાસા ગુજરાત એટીએસ દ્વારા કરાયા છે. આ ચારેય આતંકવાદીઓ ISISના સક્રિય સભ્ય હતા અને સ્યૂસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હતા. તેઓ પાકિસ્તાની હેન્ડલરના ટચમાં હતા. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી અમદાવાદ આવ્યા અને ભારતમાં હુમલો કરવા 4 લાખ શ્રીલંકન કરન્સી આપવામાં આવી હતી.

MoneyControl Newsઅપડેટેડ May 20, 2024 પર 6:33 PM
GUJARAT ATS : અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓ સ્યૂસાઇડ બોમ્બર બનવા હતા તૈયાર, ચારેય આતંકી ઈસ્લામિક સ્ટેટ (IS)ના સક્રિય સભ્યોGUJARAT ATS : અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓ સ્યૂસાઇડ બોમ્બર બનવા હતા તૈયાર, ચારેય આતંકી ઈસ્લામિક સ્ટેટ (IS)ના સક્રિય સભ્યો
પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી અમદાવાદ આવ્યા અને ભારતમાં હુમલો કરવા 4 લાખ શ્રીલંકન કરન્સી આપવામાં આવી હતી.

GUJARAT ATS : ગુજરાત એટીએસે ઝડપાયેલા આતંકવાદીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છેકે, ગુજરાત એટીએસને ખાનગી બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે, ચાર શખ્સો મહોમ્મદ નુશરત, મહોમ્મદ ગુફરાન, મહોમ્મદ ફારિશ અને મહોમ્મદ રશ્દી. આ ચાર શખ્સો મૂળ શ્રીલંકાના વતની છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(ISIS)ના સક્રિય સભ્યો છે. આ ચાર શખ્સો સંપૂર્ણપણે ISISની વિચારધારા સાથે જોડાયેલા છે.

18-19 મેએ આતંકવાદીઓ આવવાના હોવાની માહિતી મળી હતી

ભારતમાં કોઇપણ જગ્યાએ આતંકવાદી કૃત્ય કરવા માટે તે લોકો આવવાના છે. માહિતી મુજબ તેઓ 18 અને 19મી મેના રોજ અમદાવાદ આવવાના છે. હવાઇ માર્ગે આવશે અથવા તો રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળ્યા બાદ આતંકીઓને પકડવાની યોજના બનાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતીમાં એ લોકો કયા રસ્તે આવવાના છે. કેટલા વાગ્યે આવવાના છે તેવી ચોક્કસ માહિતી ન હોવાના કારણે એટીએસની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી. દક્ષિણ ભારત તરફથી આવતા પ્લેન અને રેલવેની વિગત મેળવવામાં આવી હતી.

19 મેના રોજ રાત્રે ચારેય આતંકવાદીઓ પકડવામાં આવ્યા

બધા સમાચાર

+ વધુુ વાંચો