GUJARAT ATS : ગુજરાત એટીએસે ઝડપાયેલા આતંકવાદીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છેકે, ગુજરાત એટીએસને ખાનગી બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે, ચાર શખ્સો મહોમ્મદ નુશરત, મહોમ્મદ ગુફરાન, મહોમ્મદ ફારિશ અને મહોમ્મદ રશ્દી. આ ચાર શખ્સો મૂળ શ્રીલંકાના વતની છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(ISIS)ના સક્રિય સભ્યો છે. આ ચાર શખ્સો સંપૂર્ણપણે ISISની વિચારધારા સાથે જોડાયેલા છે.