Tiger Deaths in India: ભારતમાં વાઘ સંરક્ષણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, છતાં વર્ષ 2025 વાઘો માટે ખૂબ જ ભારે સાબિત થયું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા વન્યજીવ પ્રેમીઓ માટે ચિંતા ઉપજાવે તેવા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 દરમિયાન ભારતમાં અલગ-અલગ કારણોસર કુલ 166 વાઘના મોત થયા છે. ચિંતાની વાત એ છે કે આ આંકડો ગત વર્ષ એટલે કે 2024 કરતા 40 વધારે છે. 2024માં દેશભરમાં 126 વાઘના મોત નોંધાયા હતા.

