Anil Agarwal FIR: ભારતીય માઇનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા (Vedanta)ના ફાઉન્ડર અને ચેરમેન અનિલ અગ્રવાલ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયા છે. છત્તીસગઢ સરકાર દ્વારા તેમના વિરુદ્ધ એક ગંભીર મામલે FIR નોંધવામાં આવી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અને ઉદ્યોગ જગતમાં નવી ચર્ચા છેડાઈ છે. જ્યાં એક તરફ પીડિતો માટે ન્યાયની માંગ થઈ રહી છે, તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીના મોટા માથાઓ અનિલ અગ્રવાલના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

