મધ્ય પ્રદેશના મહૂ ખાતે યોજાયેલા રણ સંવાદ 2025માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ભારતની સુરક્ષા નીતિ અને ઓપરેશન સિંદૂર અંગે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, "જો તમે શાંતિ ઇચ્છો છો, તો યુદ્ધ માટે તૈયાર રહો." આ લેટિન કહેવતનો ઉલ્લેખ કરીને તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત શાંતિપ્રિય રાષ્ટ્ર છે, પરંતુ શાંતિવાદી નથી. ઓપરેશન સિંદૂરને આધુનિક યુદ્ધનું ઉદાહરણ ગણાવતા તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાંથી ઘણા પાઠ શીખવા મળ્યા છે, જેમાંથી અમુક પર અમલ થઈ ચૂક્યો છે, જ્યારે અન્ય પર હજુ કામ ચાલી રહ્યું છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.