4Darjeeling Landslide: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (5 સપ્ટેમ્બર) પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પર્વતોમાં મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનથી અનેક ઘરો તણાઈ ગયા છે અને રસ્તાઓ તણાઈ ગયા છે, જેના કારણે ઘણા દૂરના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.