Market insight : વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે શેરબજારમાં રોકાણકારો મૂંઝવણમાં છે. ઇસ્લામાબાદ પીસ ટૉક નિષ્ફળ જવાથી અને ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવથી બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, પેડિગ્રી એડવાઈઝરી (PADIGREE ADVISORY) ના સ્થાપક દિલીપ ભટ્ટ માને છે કે બજારે અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિને પચાવી લીધી છે અને આ સમય ધીમે ધીમે ખરીદી કરવાનો છે.

