Stock Market: શેરબજારમાં હાલ અનિશ્ચિતતા અને ડરનો માહોલ છવાયેલો છે. યુકે સાથે ઐતિહાસિક ટ્રેડ ડીલ થઈ હોવા છતાં બજારમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. કંપનીઓના ત્રિમાસિક પરિણામો નિરાશાજનક આવી રહ્યા છે, વિદેશી રોકાણકારો નોંધપાત્ર વેચવાલી કરી રહ્યા છે, અને બજારમાં નકારાત્મક સમાચારો પર વધુ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. આવો, નિષ્ણાતોના મંતવ્યો દ્વારા સમજીએ કે આ માહોલનું કારણ શું છે અને આ ક્યાં સુધી ચાલશે.

