Get App

ભારતમાં આવશે FIIની ખરીદારી, બેન્કિંગ સેક્ટરમાં સારી તેજીની આશા: રામદેવ અગ્રવાલ

રામદેવ અગ્રવાલે એક્સક્લૂઝિવ વાતચીતમાં કહ્યુ કે બેન્કોના વૈલ્યૂએશન સારા છે અને ભારતમાં બેન્કોનું સારૂ પ્રદર્શન યથાવત છે. તેમણે આગળ કહ્યુ કે કેટલીક બેન્કોના રિઝલ્ટ આવી ચુક્યા છે અને સારા આવ્યા પરંતુ બેન્કમાં પીક આવવાના હજુ બાકી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 29, 2023 પર 11:07 AM
ભારતમાં આવશે FIIની ખરીદારી, બેન્કિંગ સેક્ટરમાં સારી તેજીની આશા: રામદેવ અગ્રવાલભારતમાં આવશે FIIની ખરીદારી, બેન્કિંગ સેક્ટરમાં સારી તેજીની આશા: રામદેવ અગ્રવાલ
રામદેવ અગ્રવાલે આગળ કહ્યુ કે ઈમર્જિંગ માર્કેટમાં જો અર્નિંગમાં મામૂલી કે બૂસ્ટ આવે છે તો એફઆઈઆઈના ભારતમાં ફરી આવશે.

બજારના માર્કેટ દિગ્ગજ રામદેવ અગ્રવાલે અમાહી સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝથી એક્સક્લૂઝિવ વાતચીતમાં કહ્યુ કે બેન્કોના વૈલ્યૂએશન સારા છે અને ભારતમાં બેન્કોનું સારૂ પ્રદર્શન ચાલુ છે. તેમણે આગળ કહ્યુ કે થોડા બેન્કોના રિઝલ્ટ આવી ચુક્યા છે અને રિઝલ્ટ સારા આવ્યા પરંતુ બેન્કોના પીક આવવાના હજુ પણ બાકી છે. બજારની આગળની દશા અને દિશા પર વાત કરતા તેમણે આગળ કહ્યુ કે ભારતીય ઈકોનૉમીની તબિયત સારી છે. ચાલૂ ખાતા ખોટ કાબૂમાં છે. જ્યારે ડૉલરના મુકાબલે રૂપિયો પણ મજબૂતીથી ટકેલો છે.

ભારતમાં આવશે FII ની ખરીદારી

MOFSL ના ચેરમેન રામદેવ અગ્રવાલે આગળ કહ્યુ કે ઈમર્જિંગ માર્કેટમાં જો અર્નિંગમાં મામૂલી કે બૂસ્ટ આવે છે તો એફઆઈઆઈના ભારતમાં ફરી આવશે. ઈમર્જિંગ માર્કેટમાં ઈન્ડિયાની સ્ટોરીથી સારી કોઈ સ્ટોરી નથી. ભારતમાં ચીનના મુકાબલે વધારે પૈસા બનેલા છે. તેમણે આગળ કહ્યુ કે ભારત દુનિયાના સૌથી સ્વીટ સ્પૉટ છે. રામદેવ અગ્રવાલનું કહેવુ છે કે ભારતીય બજારોમાં મોટા ઘટાડાનો ખતરો નથી પરંતુ ભારતીય બજારોમાં તેજીની ગુંજાઈશ વધારે છે.

રામદેવ અગ્રવાલે કહ્યુ કે ઈકોનૉમીમાં ટૉપલાઈન મોમેંટમ જોવામાં આવી રહી છે. પરંતુ કંપનીના માર્જિનને લઈને થોડી મુશ્કેલી છે અને તેના ખર્ચમાં પણ ઘટાડો દેખાય રહ્યો છે. આગળ કંપનીઓના માર્જિનમાં સુધારાની ઉમ્મીદ જોવામાં આવી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો