ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોદ્વારા સતત વેચવાલીનો દૌર ચાલી રહ્યો છે. રોકાણકારો બજારમાંથી ધૂમ પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેની સીધી અસર માર્કેટના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે. આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જૂન મહિનાના પહેલા જ અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ 42,927 કરોડ રૂપિયાના શેર વેચીને પોતાનું ફંડ પાછું ખેંચી લીધું છે.

