Analog paneer ban in Gujarat : ગુજરાતમાંથી ભેળસેળિયાઓ માટે એક ખૂબ જ મોટા અને કડક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને તેના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. સ્વાસ્થ્ય વિભાગના આ નિર્ણયને ખૂબ જ આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.

