ભારતીય અર્થવ્યવસ્થા અને રૂપિયાને વૈશ્વિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ઇતિહાસની સૌથી મોટી ટેક્સ રાહત આપવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સરકાર વિદેશી રોકાણકારોને ભારતીય સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા પર ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

