ભારતે અનિયંત્રિત આયાતને રોકવા માટે અમુક સ્ટીલ ઉત્પાદનો પર 12% અસ્થાયી ટેરિફ (સેફગાર્ડ ડ્યૂટી) લાદવાની જાહેરાત કરી છે. નાણા મંત્રાલયે આ અંગે નોટિફિકેશન જાહેર કરીને માહિતી આપી હતી. આ ટેરિફ સોમવારથી અમલમાં આવ્યો છે અને 200 દિવસ સુધી લાગુ રહેશે, જ્યાં સુધી તેને રદ કરવામાં ન આવે અથવા તેમાં ફેરફાર ન કરવામાં આવે.