Market Outlook 2026: વર્ષ 2026 શેરબજારના રોકાણકારો માટે કેવું રહેશે અને કઈ રણનીતિ અપનાવવી જોઈએ, તે અંગે જાણીતા માર્કેટ એક્સપર્ટ અને ડાઈમેન્શન કોર્પોરેટ ફાઈનાન્સ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર અજય શ્રીવાસ્તવે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. જો તમે તમારા પોર્ટફોલિયોને રી-બેલેન્સ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ કામનો સાબિત થઈ શકે છે. અજય શ્રીવાસ્તવના મતે 2026માં આડેધડ રોકાણ કરવાને બદલે અત્યંત સાવચેતીપૂર્વક અને 'સિલેક્ટિવ' એપ્રોચ રાખવો પડશે.

