Patanjali Foods Share Price: શેરબજારમાં ક્યારે કયો શેર રોકાણકારોને મોટો ઝટકો આપે તે કહેવું મુશ્કેલ છે. યોગ ગુરુ બાબા રામદેવ સાથે જોડાયેલી કંપની પતંજલિ ફૂડ્સના રોકાણકારો માટે 15 જુલાઈનો દિવસ અત્યંત ખરાબ સાબિત થયો. આજે આ કંપનીનો શેર માર્કેટમાં ખરાબ રીતે ક્રેશ થઈ ગયો છે. એક સમયે શેરમાં 18 ટકા જેટલો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો. બપોરે 12:50 વાગ્યાની આસપાસ શેર થોડો રિકવર થઈને 14.69 ટકાના ભારે ઘટાડા સાથે 340 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ મોટા ઘટાડા સાથે કંપનીનો શેર તેના 52 સપ્તાહના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે.

