સહારા ગ્રુપ માટે એક માઠા સમાચાર આવ્યા છે. સિક્યોરિટીઝ અપિલેટ ટ્રિબ્યુનલ (SAT) એ સહારા ઇન્ડિયા કમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ (SICCL) અને તેના ડિરેક્ટરોને રોકાણકારોના લગભગ 14,106 કરોડ રૂપિયા પાછા આપવાનો કડક આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે માર્કેટ રેગ્યુલેટર સેબીના જૂના આદેશને યોગ્ય ઠેરવ્યો છે.

