Get App

Share market: સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નજીક, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મોટાં કારણો

આજના શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ તૂટીને 76905 પર અને નિફ્ટી 24000 ની સપાટીએ પહોંચ્યો છે. ફાર્મા શેરોમાં દબાણ છે, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jul 22, 2026 પર 10:03 AM
Share market: સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નજીક, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મોટાં કારણોShare market: સેન્સેક્સ 585 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની નજીક, જાણો માર્કેટ ક્રેશ થવા પાછળનાં 3 મોટાં કારણો
બજારના આજના માહોલમાં મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. માત્ર એક ઓટો સેક્ટર જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.

Share market: ગ્લોબલ માર્કેટના નકારાત્મક સંકેતો અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવને કારણે બુધવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખુલ્યા હતા. ફાર્મા અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે, જ્યારે ઓટો સેક્ટરના શેરોએ બજારમાં થોડી ચમક જાળવી રાખી છે.

સવારે 9:35 વાગ્યાના આંકડા મુજબ, સેન્સેક્સ 564.77 પોઈન્ટ્સ અથવા 0.73 ટકાના ઘટાડા સાથે 76,905.34 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 162.25 પોઈન્ટ્સ અથવા 0.67 ટકાના કડાકા સાથે 24,025.45 ના લેવલ પર આવી ગયો હતો. ઓવરઓલ જોતા સેન્સેક્સમાં 585 પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાયો છે.

આજના ટોપ ગેનર્સ અને લુઝર્સ શેરો

બજારના આજના માહોલમાં મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. માત્ર એક 'ઓટો સેક્ટર' જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.ઈન્ટરગ્લોબ એવિએશન, સિપ્લા, મેક્સ હેલ્થકેર, સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ લેબ્સ જેવા શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું છે. બજાજ ઓટો, ONGC, મારુતિ સુઝુકી, હિંડાલ્કો અને નેસ્લેના શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી રહી છે.

શેરબજારમાં ઘટાડા પાછળનાં 3 મુખ્ય કારણો

1) ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભડકો

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો 5 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.2% ના ઉછાળા સાથે 92 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઈમ્પોર્ટર દેશ છે. તેથી મોંઘુ ક્રૂડ ભારત માટે સીધી રીતે નેગેટિવ છે. આનાથી દેશમાં મોંઘવારી વધી શકે છે, વેપાર ખાદ્યમાં વધારો થઈ શકે છે અને કંપનીઓના પ્રોફિટ પર માઠી અસર પડી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો