Stock Market Holiday : આ વર્ષે 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. ભક્તો ભારે ઉત્સાહ સાથે બાપ્પાનું ઘરમાં સ્વાગત કરશે. આ તહેવાર નિમિત્તે દેશના શેરબજારમાં રોકાણકારો માટે રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય રીતે શેરબજાર શનિવાર અને રવિવારે બંધ હોય છે, પરંતુ ખાસ તહેવારો અને જાહેર રજાઓ પર પણ ટ્રેડિંગ થતું નથી. ચાલો જાણીએ આ દિવસે બજારના કયા સેગમેન્ટ ચાલુ રહેશે અને કયા બંધ રહેશે.

