Share market today: શેરબજારમાં હાલમાં ટ્રેન્ડ બહુ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. તમે એક તરફનો નજરીયો બનાવો ત્યાં જ બજાર બીજી દિશામાં ચાલવા લાગે છે. આવા સમયે શું કરવું? CNBC-આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલના મતે, અત્યારે રોકાણકારોએ અને ટ્રેડર્સે નિફ્ટી અને બેંક નિફ્ટીનો મોહ થોડા સમય માટે છોડી દેવો જોઈએ. જો તમે ઈન્ડેક્સમાં બંને તરફ ટ્રેડ ન લઈ શકતા હોવ, તો અત્યારે ચુનંદા (પસંદગીના) શેરોમાં જ રોકાણ કરવું સૌથી બહેતર રણનીતિ છે.

