MAHARASHTRA POLITICS: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના મુખ્ય પ્રધાનમાં ફેરફારના કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણના દાવાને ફગાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા ફડણવીસે સોમવારે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણના દાવાને ફગાવી દીધો હતો કે ઓગસ્ટમાં એકનાથ શિંદેના સ્થાને અજિત પવારને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવશે. ફડણવીસે કહ્યું કે અજિત પવાર સારી રીતે જાણે છે કે તેઓ મુખ્યમંત્રી નહીં બને. મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જૂથનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે 2 જુલાઈ પહેલાં યોજાયેલી બેઠકો દરમિયાન તેમને આ વાતની જાણ કરવામાં આવી હતી.



