કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિઓ (SC) માટે આરક્ષણની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. હરિયાણાની તર્જ પર હવે કર્ણાટકમાં પણ ‘કોટામાં કોટા’ની નીતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણય નાગમોહન દાસ આયોગની ભલામણોના આધારે લેવાયો છે, જેમાં SC લેફ્ટ (મદિગા), SC રાઇટ (હોલેયા) અને અન્ય ઉપ-જાતિઓની લાંબા સમયથી ચાલતી માંગણીઓને ધ્યાનમાં લેવાયું છે.