ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય પરિવારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ, આવાસ તબદીલી (Property Transfer) માટે ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની મોટી છૂટ આપવામાં આવશે. આ નિર્ણયથી લાખો ગુજરાતીઓને આર્થિક રાહત મળશે, ખાસ કરીને જેઓ સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા મિલકત ટ્રાન્સફર કરે છે.