વક્ફ સંશોધન કાયદાને લઈને જ્યાં ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યાં ભાજપે તેના ફાયદા લોકો સુધી પહોંચાડવા એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેને ‘વક્ફ જાગૃતિ અભિયાન’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પહેલા ભાજપ કાર્યકરોને વર્કશોપ દ્વારા કાયદાની વિગતો સમજાવશે. ત્યારબાદ આ તાલીમ પામેલા કાર્યકરો મુસ્લિમ સમાજમાં જઈને લોકોના સવાલોના જવાબ આપશે અને તેમના મનમાં રહેલા ભ્રમને દૂર કરવાનો પ્રયાસ કરશે.