કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ઓપરેશન સિંદૂરને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે માંગ કરી છે કે 1999ના કરગિલ યુદ્ધની સમીક્ષા માટે બનાવવામાં આવેલી કમિટીની જેમ ઓપરેશન સિંદૂરની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ખરગેનું કહેવું છે કે આ ઓપરેશનની આડમાં સરકાર દેશને ગુમરાહ કરી રહી છે અને સેનાની બહાદુરીનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે.